Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

તો સારુ…..

"બેઠક" Bethak

મિત્રો ,

આપણી  બેઠક તો શુક્રવારે  સાંજે મળશે  પરંતુ આપણા વડિલ, મિત્ર વિજયભાઈ શાહ એ હ્યુસ્ટન(અમેરિકા)થી “તો સારું” પર  સુંદર કવિતા  મોકલાવી છે, તો મિત્રો વિજયભાઈ આપણા માટે હ્યુસ્ટનથી કવિતા મોકલે એ આપણા માટે મોટી વાત છે ….. તો આપ બધા ક્યાય અટક્યા હો અને કલમ ન ઉપાડી હોય તો…આજે તમારી એક સ્વરચિત કૃતિ. રચવા, સ્વની  ખોજ  સાહિત્ય દ્વારા વ્યક્ત કરવાનો સુંદર મોકો” બેઠક ” દ્વારા  લાવી છું….તમારે માત્ર હિમત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે અને કાલની બેઠકને આપના વિચારો અને લખાણોથી ભરી દેવાની છે

 વિજયભાઈ વિષે લખવા બેસું તો  ઘણું લખી શકાય પરંતુ ​ખાસ જણાવું તો ​મારા માટે મેન્ટર રહ્યા છે, મને માર્ગદર્શક આપી શબ્દોનાસર્જન ને પ્રોત્સાહન પણ આપ્યું છે ,એમના લખાણ માં સરળતા સાદગી સાથે સહજતા દેખાય છે. ટૂંકમાં જાણવું તો આધુનિક ગુજરાતી ગદ્ય  અને પદ્ય સાહિત્ય ના એક સર્જક; નમ્ર અને સરળ વ્યક્તિ એટલે વિજયભાઈ, માત્ર લખી જાણે છે તેવું નથી બીજાને પ્રોત્સાહન આપી લખાવી  જાણે છે.વધુ કંઈ કહું એ પહેલા વિજયભાઈને માણો એમની કવિતા એજ એમની ઓળખ છે…  બધાં માટે મનન માંગતુ…

View original post 122 more words

SAM_0486

100_3545

તસ્વિર સૌજન્ય…જયંત પટેલ

‘સાહિત્ય સરિતા’ની ૧૩૪મી બેઠકનો અહેવાલ-(અહેવાલ. શ્રી. નવીન બેન્કર)

અમદાવાદની ‘ધબકાર’ સંસ્થાના ઉપક્રમે, પાંચ કે છ વર્ષ પહેલાં-કદાચ ૨૦૦૭માં-,બ્લોગ જગતના લાડીલા અને આદરણીય વડીલ જુગલકાકા ( શ્રી.જુગલકિશોર વ્યાસ ) ના નિવાસસ્થાને હું, પ્રથમ વખત આ તેજસ્વીની લેખિકાને મળેલો અને તેમના સાહિત્યનો અને લેખનપ્રીતિનો અનુભવ થયો હતો. ત્યારપછી પણ આ છ વર્ષ દરમ્યાન તેમના લખાણો-લઘુકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરે- અવારનવાર ગુજરાતી સામયિકો ‘કુમાર’, ‘અખંડ આનંદ’, ’ઉદ્દેશ’ વિગેરેમાં  વાંચવામાં આવ્યા હતા એટલે શબ્દથી તો એમનો પરિચય થતો જ રહ્યો છે.

હ્યુસ્ટનની તેર વર્ષ જૂની, ગુજરાતી સાહિત્ય સરિતાના આમંત્રણને માન આપીને નીલમબેન દોશી હ્યુસ્ટનની મુલાકાતે પધાર્યા હતા અને ‘સરિતા’ની ૧૩૪મી બેઠકમાં, સાહિત્યપ્રેમી ડોક્ટર દંપતિ રમેશભાઇ શાહ અને ઇન્દુબેન શાહના નિવાસસ્થાને હાજરી આપી હતી.

હ્યુસ્ટનની જાણીતી સ્ત્રી-લેખિકાઓ શ્રીમતી શૈલા મુન્શા,દેવિકા ધ્રુવ, ઇન્દુબેન શાહ અને પ્રવિણા કડકિયાએ પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ સુત્રધાર દેવિકાબેને નીલમબેનનું સ્વાગત કર્યું હતું અને શ્રી. વિજય શાહને નિલમબેનનો પરિચય આપવા માટે વિનંતિ કરી હતી. શ્રી. વિજય શાહે, લેપટોપ પર સ્લાઇડોના સહારે, નીલમબેનના પુસ્તકો, કોલમો, તેમને મળેલા એવોર્ડો, પારિતોષિકો અંગે માહિતી આપતાં કહ્યું કે નીલમ દોશીના પુસ્તક ‘ગમતાંનો ગુલાલ’ને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ‘દીકરી મારી દોસ્ત’, ‘જન્મદિવસની ઉજવણી’, ‘સંબંધસેતુ’, ‘સાસુવહુ ડોટ કોમ’, અંતિમ પ્રકરણ’, ‘પાનેતર’ એમના પ્રકાશિત પુસ્તકો છે. લોકપ્રિય સ્ત્રી સાપ્તાહિક ‘સ્ત્રી’માં, એમની કોલમ  ‘જીવનની ખાટીમીઠી’ પ્રકાશિત થતી રહી છે. સુરતમાં યોજાયેલ જ્ઞાનસત્ર (૨૦૧૨) દરમ્યાન નીલમબેન લિખિત ‘અંતીમ પ્રકરણ’ નવલિકાસંગ્રહને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી ‘બેસ્ટ બુક ઓફ ધ યર’નો અવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોના રસાસ્વાદ, આકાશવાણી રેડીયો પરથી પ્રસારિત થતા રહે છે.

નીલમબેનના વક્તવ્ય પહેલાં, બે-ત્રણ સ્થાનિક લેખકો-કવિઓની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.ઓસ્ટીનથી  ખાસ આ બેઠકમાં હાજરી આપવા આવેલ કવયિત્રી સરયુ પરીખે પોતાના બે નવા કાવ્યસંગ્રહો વિશે માહિતી આપી હતી. અને બે કાવ્યો વાંચી સંભળાવ્યા હતા. હાસ્ય, હાઇકુ અને હઝલના રાજા એવા સ્થાનિક હાસ્યલેખક અને ગઝલકાર શ્રી. ચીમનભાઇ પટેલે (‘ચમન’) સ્વરચિત બે, છંદબધ્ધ કાવ્યો સંભળાવ્યા હતા. ફતેહ અલી ચતુરે, હિન્દી કવિ સુરેન્દ્ર શર્માનું એક વ્યંગકાવ્ય રજૂ કર્યું હતું.

બેઠકનો દોર પોતાના હાથમાં લેતાં, નીલમબેને હ્યુસ્ટનની મુલાકાત ટાણે લખાયેલ સ્વરચિત કાવ્યની પંક્તિઓ સંભળાવી હતી. ટૂંકી વાર્તાકળાના નમૂના તરીકે પોતાની ત્રણ વાર્તાઓ  ‘સંજૂ દોડ્યો’, ‘એક ઔર ધરતીકંપ’, અને ‘આઇ એમ સ્યોર’ ,વાંચી સંભળાવી હતી. વાર્તાઓ અંગે સાહિત્યરસિકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા અને તે પછી નીલમબેને એની છણાવટ કરીને રસદર્શન કરાવ્યું હતું.

સાહિય સરિતાના  હવે પછીના છ માસ માટેના નવા કો ઓર્ડીનેટર અને આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટર તરીકે સેવાઓ આપવા માટે સુશ્રી. પ્રવિણાબેન કડકિયા અને શ્રી. સતિશ પરીખ સંમત થયા હતા.

 

સાહિત્ય સરિતાના કાર્યદક્ષ, વિદ્વાન પ્રેસિડેન્ટ શ્રી. વિશ્વદીપ બારડે કેટલીક જાહેરાતો કરીને, આભારવિધીની ઔપચારિકતા નિભાવી બેઠકની સમાપ્તિ કરી હતી. ‘સરિતા’ના સભ્યો સાથે નીલમબેને ગ્રુપ ફોટો પડાવીને, યજમાન ઇન્દુબેન/રમેશભાઇ શાહ દ્વારા પિરસાયેલ સ્વાદીષ્ટ ચાહ-નાસ્તાને ન્યાય આપીને સૌ છૂટા પડ્યા હતા.

(અહેવાલ. શ્રી. નવીન બેન્કર)

2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 4,500 views in 2012. If every person who reached the top of Mt. Everest viewed this blog, it would have taken 8 years to get that many views.

Click here to see the complete report.

(પ્રથમ ફોટામાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્યના સરિતા સાહિત્ય મિત્રો. બીજા  ફોટામાં અમેરિકા નાસા કેન્દના પ્રખર વૈજ્ઞાનિક,અગ્રણી વડા શ્રી ડૉ.કમલેશભાઈની અનેક સિદ્ધીઓ સાથે નાસા તરફથી મળેલ અમૂલ્ય એવૉર્ડનું  સન્માન  કરતા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના પ્રમૂખશ્રી વિશ્વદીપ સાથે શ્રીમતી રેખા,શ્રી ધીરૂભાઈ,મધુબેન ..ફોટોઃ શ્રી જયંતભાઈ પટેલ)

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક જુલાઈ,૨૨મીને બપોરે ૨ થી ૫ વાગે ગં.સ્વ.મધુબેન શાહને ત્યાં રાખવામાં આવેલ.સાહિત્ય સંચાલક વ્યસ્ત હોવાથી આજની બેઠકની સંપૂર્ણ જવાબદારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમૂખશ્રી વિશ્વદીપ બારડે સંભાળેલ.સાહિત્ય સરિતા સમયને લક્ષમાં લેતા બેઠક ૨ વાગે મધુબેન શાહે સૌ આવેલ મહેમાનોનું સ્વગાત કરેલ, ત્યારબાદ સભાના સંચાલક શ્રી વિશ્વદીપે સભાનો દોર હાથમાં લેતા, સભા પ્રારંભ શ્રીમતી રેખાના સુંદર સ્વરે..’મંદીર તારું વિશ્વ રુંપાળુ..સુંદર સર્જનહારા રે’..પ્રાર્થનાથી થયેલ.

સૌ પ્રથમ  સંવેદનશીલ કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટે આજના વિષય..સમી સાંજ’ને લક્ષમાં રાખી..’સ્નેહ મળે સમી સાંજે ત્યાં આનંદ થાય..સુંદર કાવ્યની રજૂઆત બાદ ગુજરાતી ગઝલ શ્રી પ્રકાશ મજમુદારે…શૂન્ય પાલનપૂરીની…’હરદમ તને યાદ કરું’..ગઝલ રજુ કરી શ્રોતાજનોને મુગ્ધ કરી દીધા.શ્રીમતી ઈન્દુબેને ડેનવરમાં બનેલ દુંખદ ઘટના પર લખેલ લેખ રજુ કર્યો..કરુણરસમય બની ગયેલ વાતાવરણને..‘વાદલડી વરસી રે સરોવર છ્ળી વળ્યા’..નું લોકગીત શ્રીમતી રેખાએ ગાઈ વાતવરણને હળવું બનાવ્યુ.

આજની બેઠક્માં ૪૦થી વધારે શ્રોતાજનોએ હાજરી હતી.સૌને સાહિત્ય સાથે લોકગીતની હળવી પ્રસાદી પિરસતા બેઠક આગળ વધી રહી હતા. સૌ શ્રોતાજનોને વિવિધ-સાહિત્ય રસમાં તરબોળ રાખવા એનો ખ્યાલ લક્ષમાં રાખી સભાસંચાલક શ્રી વિશ્વદીપ બારડ આગળ વધી રહ્યા હતાં. સાહિત્ય સરિતાના પીઢ કવિશ્રી ધીરૂભાઈએ..હાસ્ય પ્રાંતકાળના સૂર્ય સમાન…જ્યાં સુધી હું તમને જાણીશ નહી..સાથો સાથ સમી સાંજ..એટલે વસંત પછીની પાનખર..ત્રણ કવિતા એમની સીધી-સરળ શૈલીમાં રજૂ કરી. સમીસાંજમાં વિહરતા..ઝુલતા હિંચકાની કોર એ દંપતી સમીસાંજે…જિંદગાનીની સફરનો ઉતારતા થાક સમી સાંજે..સુંદર કાવ્ય કવિયત્રી શૈલા મુન્શાએ રજૂ કર્યુ.ફતેહ અલી ચતૂર…પંખીઓએ કલશોર કર્યા..ગીત ગાઈ શ્રોતાજનોને આનંદ વિભોર કર્યા.

સંવેદનશીલ કવિ શ્રી હેમંત ગજરાવાલાએ..If you Forget Me.. ભાવાનુવાદ કાવ્ય.’તને તો ખબર છે..કે જ્યારે પણ હું પૂર્ણિમાના કલંક વગરના મૂખ સામે જોઉ..કે..’પોતાની આગવી છટાં અને ભાવસાથે રજૂ કર્યું. ‘ફરતા પાછા પંખી સાંજે,રાખે ઘર તું સ્વચ્છ સાંજે.કાવ્ય  અને અમદાવાદની મુલાકાત વિષેની માહીતી શ્રી વિજય શાહે વિગતમા વાત્ કરેલ.’શબ્દના પાલવડે’ ગુથતી કવિયત્રી શ્રીમતી દેવિકા ધ્રુવે..’કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે, જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!’છંદબદ્ધ કાવ્ય સંભાળાવી શ્રોતાજનોને મુગ્ધ કરી દીધેલ.

‘ઓ દેસસે આનેવાલે..'(અડધી સદીની વાચનયાત્રા)નું ભાવ વિભોર કાવ્ય શ્રી નુરદ્દીન દરેડિયાએ કાવ્ય વાંચી સૌ શ્રોત્તાજનોને ભાવ વિભોર કરી દીધા. ભારતીબેન મજમુદારે હંસલા હાલો રે હવે.મોતિડા નહી રે મળે.લોક્ગીત લલકાર્યું,અશોક પટેલે..પ્રણામ પ્રભુ..હસમુખરાયે…કયારે શોધું જઈ રંગ ફુવારો..ગીત અને રમઝાન વિરાણીએ ..બે મુરાફત મહેમાન..કાવ્યો રજૂ કરી શ્રોતાજનોને રસ તરબોળ કરી દીધા..

આખરમાં સભા સંચાલક શ્રી વિશ્વદીપ બારડે સમીસાંજ પર..‘નારી જળભરી જતી ઘરભણી…સીમાથી સરકતા સાપ લાવી’ કાવ્ય રજૂ કર્યા બાદ સભાનો બીજો દોર હતો જેમાં  હ્યુસ્ટન નાસા કેન્દ્રના પ્રખર વૈજ્ઞાનિક ડૉ.કમલેશભાઈ લુલ્લાની સિદ્ધીઓનું સન્માન સમારંભનો હતો.શ્રી વિશ્વદીપ બારડે તેમનો ટૂંકો પરિચય આપતા કહ્યું:ડૉ. કમલેશભાઈ એક પ્રખર વૈજ્ઞાનિક ઉપરાંત આપણી માતૃભાષા ગુજરાતી ભાષાના ચાહક કવિ અને એક સારા લેખક પણ છે. ગુજરાતી માતૃભાષાના ધાવણ ઉજજવળ કરેલ છે એ આપણાં ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.એમની સિદ્ધીઓ વિશે વાત કરતા કહ્યું: ડૉ. કમલેશભાઈ હ્યુસ્ટન નાસા કેન્દ્રમાં ૨૫ વર્ષથી  સંશોધન વિભાગના ડિરેકટર તેમજ વૈજ્ઞાનિક વડા તરિકે ફરજ બજાવતા નાસાના એસ્ટ્રોનટને ટ્રેઈનીંગ,પૃથ્વિ-નિરિક્ષણ વિજ્ઞાન સાથે ઘણાં ક્ષેત્રોમાં ટ્રેઈનીગ આપે છે. ૨૦૦થી વધુ  રિસર્ચ પબ્લીકેશનના લેખક ઉપરાંત આંઠ પોતાની પબ્લીકેશન,આંતર-રાષ્ટ્રીય જર્નલના ૮૫ દેશોના તંત્રી ડૉ. કમલેશભાઈએ ડબલ પી.એચ.ડીની ડીગ્રી સિદ્ધ કરેલ છે.

૨૦૦૫માં નાસાનો ઉચ્ચાતર એવૉર્ડ(ભારતના “પદ્મ-વિભુષણ્” સંમાતાર) મળેલ છે,સાથો સાથ તેમણે નાસા તરફથી  ઘણાંજ એવૉર્ડ પ્રાપ્ત કરેલ છે જે આપણા સમગ્ર ભારત અને ગુજરાતનું ગૌરવ છે.ત્યારબાદ નાસામાંથી નિવૃત થયેલ શ્રી સતિષભાઈ પરીખે તેમની અન્ય સિદ્ધીઓના વર્ણન સાથે ગુજરાતના મંત્રીશ્રી નરેન્દ્ર મોદી તરફથી મળેલ સન્માન પત્રનો ઉલ્લેખ સાથે આશા રાખેલ કે ભારત સરકાર એમની સિદ્ધીઓનું સન્માન કરે.

શ્રી વિશ્વદીપ,શ્રીમતી રેખા,મધુબેન અને શ્રી ધીરૂભાઈ સૌ સાથે મળીને  ફૂલ-ગુચ્છા અને અભિનંદન કાર્ડ સાથે ડૉ. કમલેશભાઈનું હર્ષભેર સન્માન કરેલ.ડૉ.કમલેશભાઈએ પોતાના રમુજી સ્વભાવે ગુજરાતીમાં ત્રણ ચાર સ્વરચિત  શાયરીઓ રજૂ કરી સૌને હાસ્યરસમાં લાવી આનંદ-વિભોર કરી દીધેલ.

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન શહેરમાં વસતા ગુજરાતીઓનું હાર્દ બની ગઈ છે.સાહિત્ય સરિતામાં ઘણાં નવા કવિ-લેખકોનો જન્મ થયેલ છે.દસ વર્ષ ઉપરની સિદ્ધીઓમાં ઘણાં નવા-નવા સોપાનો સર કરેલ છે એનો ખ્યાલ આપતાં શ્રી વિશ્વદીપે બેઠકની પૂર્ણાહુતી સાથે મધુબેને  સૌનો આભાર માની  અને સુંદર-સ્વાદિષ્ઠ અલ્પાહાર-ચા સાથે પિરસ્યા.

અહેવાલઃ વિશ્વદીપ બારડ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઉજાણી સાથે સાહિત્યનો લ્હાવો – – ૧૨૧મી બેઠકનો અહેવાલ

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા સાહિત્યની પ્રવૃતી સાથે અવારનવાર અન્ય પ્રવૃતીંમાં ઉજાણી માણવાનો લ્હાવો અનેરો હોય છે.સાહિત્યની રસદાર રચનાઓ સાથે સ્વાદિષ્ટ ત્યાં જ તૈયાર કરેલું ભોજનની મજા કઈ ઓર હોય છે.રવિવાર, એપ્રિલ ૨૯ ને દિને સવારે ૧૧ વાગે કલન પાર્કના એક પેવિલીયનમાં સાહિત્ય સહ ઉજાણીનું આયોજન શ્રી વિશ્વદીપ-રેખા બારડ,ડો.રમેશ-ઈન્દુ શાહ,પ્રશાંત-શૈલા મુન્શા,પ્રવિણાબેન અને દેપક-ગીતા ભટ્ટે કરેલ.૧૧થી ૩ની આ ઉજાણીમાંધીમે ધીમે સાહિત્ય પ્રેમીઓ આવવા લાગ્યા ત્યારે વિશ્વદીપભાઇ તેમની રસોઈમાં પ્રવિણતા એટલે મસાલેદાર “છોલે” બનાવી રહ્યા હતા, તો રમેશભાઇ શાહ ,પ્રશાંત અને અન્ય સભ્યો શાક-ભાજી તૈયાર કરવામાં સહાયરૂપ થઈ રહ્યાં હતા. આજની ઉજાણીની ખરી મજા એ હતી કે સ્ત્રી-વર્ગને સંપૂર્ણ મજા માણવાની અને પુરૂષ વર્ગજ ભોજન તૈયાર કરે.રેખાબેન, શૈલાબેન અને ઇદુબેન શાક, ચારેબાજુ આનંદનું વાતાવરણ સાથે હાસ્યની રેલમછેલ હતી. આ ચારેય યજમાન જોડીઓએ પ્રસંગની જમવાની વ્યવસ્થામાં ક્યાંય કચાશ રાખી નહોતી. ઘણાં સાહિત્યપ્રેમીઓની હાજરી હતી.

સ્નેક્સ(નાસ્તા-પાણીમાં ઘરનો બનાવેલ સાલસા-જુદી જુદી જાતની ચીપ્સની મજા માણ્યા બાદમ જ્યોત્સ્નાબેન વેદે પોતાના કોકિલ કંઠથી ગણપતિની સ્તુતિ ગાઇને કરી. સાહિત્ય સરિતાના સંચાલક શ્રી નરેન્દ્ર વેદે બધા સભ્યોને આવકારી સભા સંચાલનનો દોર ડૉ. ઈન્દુબેન શાહની આપ્યો. ઉજાણીના ઉત્સાહ સાથે બેઠકની શરુઆત એક સાહિત્ય શૈલીમાં સાહિત્યને લગતી રમત ગમતથી થઇ. પ્રવિણાબેન કડકીયાએ આ “ફીશ્બોલ” રમતની ગોઠવણી કરી હતી. જેમાં બધી શિક્ષા ગુજરાતી સાહિત્યને લગતી જ હતી. તેમાં ઈનામની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ જેમાં નવા યુવાન સભ્ય ગૌરાંગભાઇ, ગીતાબેન ભટ્ટ વિજ્યી નિવડ્યા હતા.

સમયને અનુસરતા ઈન્દુબેને બેઠકની શરુઆત વડીલ ધીરુભાઇ શાહની રજુઆત કરવા વિનંતી કરી. એમણે પોતાની આગવી અને હળવી શૈલીમાં બે કાવ્યો “ભાગ્યશાળી”, “જિંદગીને વીંધવી પડે છે” અને એક લેખ “માતાઓને કદી જૂઠું બોલવું પડે છે.” નું વાંચન કર્યું.

ત્યારબાદ ઇંદુબેન શાહે સ્વયંરચીત “નીજ લીલા” કાવ્યનો આસ્વાદ કરાવ્યો. હેમાબેન પટેલની સુંદર રજૂઆત બાદ શૈલાબેન મુન્શાએ સ્વરચિત કાવ્ય “જાય છે”નું પઠન કર્યું.

ગુજરાતી સાહિત્યની સૌ મજા માણી રહ્યાં હતાં, વાતાવરણમાં એક અનોખી સૌરભ હતી, અનુકુળતા હતી. ગૌરાંગભાઇ નાયકે પોતાની ખૂબ જ સંવેદનશીલ રચનાઓ – “ફોન” અને “ભૂલી જવાય”
નું ભાવભીની શૈલીમાં રજૂ કરી બધા શ્રોતાઓને ભાવવિભોર કર્યા.

આપણાં એક હાસ્ય કવિ-લેખક શ્રી ફતેઅલ્લી ચતુરે હંમેશ મુજબ હિન્દી ગીતથી બધાનું મનોરંજન કર્યું હતું.

હર્ષાબેન શાહે ઘણાં સમયબાદ સાહિત્ય સરિતાની બેઠકમાં ઉપસ્થિત થયાં હતાં પણ તેમની પોતાની આગવી શૈલીમાં તેમણે પોતાની અમદાવાદની મુલાકાત દરમ્યાન પિતાશ્રીના અંતીમ દિવસોમાં ઉદ્ભભવેલ લાગણીઓ અને નાજુક અવલોકનોથી રચિત કાવ્ય રજૂ કરી સૌને ભાવ-વિભોર કરી દીધા.

એક આગવી છટાં અને શૈલીના કવિ અશોક્ભાઇ પટેલે સૌને એક અનેરા રંગમાં લાવી દીધા.

સાહિત્ય સરિતાના સંચાલકશ્રી નરેન્દ્રભાઇ વેદે યુવાન કવિ મેહુલ શાહની બે કૃતિઓ – “પણ હોઈ શકે!” અને “શક્યતાનું ઢાંકણ” રજૂ કર્યા.

અંતમાં વિનોદભાઇ પટેલે પોતાની તળપદી ભાષામાં રચેલ “એક્સો ને એક… વિસમી” કૃતિ
(સૌને યાદ રહે આ ૧૨૧મી બેઠક હતી!) પોતાની આગવી શૈલીમાં રજૂ કરી હતી જેમા રહેલ વ્યંગને સૌએ ખેલદિલીથી આવકાર્યો.

ત્યારબાદ સાહિત્ય સરિતાના પ્રમુખ વિશ્વદીપભાઈ સભા સંબોધનની વિનંતી થતાં તેમણે બધાં આગંતુકો તથા આયોજકો અને સ્વયંસેવકોનો આભાર માન્યો હતો. ત્યારબાદ પોતાના ટુંકી વાર્તા લેખનના અનુભવોને ધ્યાનમાં રાખી બધા સભ્યોને લેખનકાર્ય માટે પ્રેરવા સુચનો કર્યા જેમાં તેમણે દરેક નવા લેખકોએ સાદી તથા સચોટ શૈલીમાં લેખન કાર્ય કરવું જોઈએ. આ માટે ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય કવિ ઉમાશંકર જોષીની રચનાઓ સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ હોવા છતાં લોકજીભે નામ અલ્પ લેવાઈ છે આ વાત સૌ નવા લેખકોએ ધ્યાનમા રહે.શ્રી ધીરૂભાઈએ ૭૫ વર્ષબાદ સાહિત્યની યાત્રા આરંભી અને સરળ શૈલી અપનાવીને ચાર ચાર પુસ્તોકો પ્રકાશીત કર્યાનો દાખલો આપેલ.

આ સુચનો બધાને ગળે ઉતરે તેવા ન હતા અને વિવાદાસ્પદ બની રહ્યા હતા. ઘણા સભ્યોનું માનવું હતું કે લેખનમાં “લોકભોગ્યતા” જો આગળ રખાય તો નવીનતા, પ્રયોગશીલતા, સહજતા અને સત્યતત્ત્વનો ભોગ આપવો પડે જે સત્યપ્રિય અને પ્રયોગશીલ કૃતિકારની અભિવ્યક્તિને રુંધી નાખે.

અંતમાં ગરમા-ગરમા છોલે-પુરી, પુલાવ,સંભાર અને મોતીચુર લાડુની રસદાર મજા માણી બપોરે ૩ વાગે છૂટા પડ્યા.

અલ્પ હાજરી છતાંયે એક નાનું કુટુંબની જેમ પ્રસંગનું આયોજન ખૂબ જ સફ્ળ રહ્યું. આનો યશ યજમાનોની મહેનત અને સભ્યોની સુંદર રજૂઆતને ફાળે જાય છે.

-નરેન્દ વેદ
સંકલનઃ વિશ્વદીપ

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

A New York City subway train holds 1,200 people. This blog was viewed about 5,300 times in 2011. If it were a NYC subway train, it would take about 4 trips to carry that many people.

Click here to see the complete report.


હ્યુસ્ટન ગુજરાતી  સાહિત્ય સરિતા વેગ પકડતી આગળ ધપી રહી છે.દિવાળી અને નવા વર્ષની ઉજવણી સહ સાહિત્ય સરિતાની   ૧૧૬મી બેઠક  યજમાન રેખાબેન અને વિશ્વદિપભાઈ બારડ ત્યાં યોજવામાં આવી હતી. બેઠક નો સમય સાંજના ચાર થી સાતનો રાખવામાં આવ્યો હતો. દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા  સાથે યજમાન દંપતિએ  સૌનું  ભાવભીનુ સ્વાગત કર્યું.

સૌ પ્રથમ “બનવારી રે…જીનેકા સહારા તેરા નામ રે! ના સુંદર ભજન શ્રીમતી રેખાબેનના સ્વરે ગવાયાબાદ શ્રી વિશ્વદીપે આજની બેઠકનું સુકાન હેમાબેન પટેલને આપ્યું. પહેલીજ વખત સભાનુંસંચાલન કરનાર હેમાબેન પણ પૂર્ણ તૈયારી સાથે આવ્યા હતાં.સમયને લક્ષમાં રાખી એક પછી એક વક્તાના ટૂંકા પરિચય સાથે બેઠકની શુભ-શરૂઆત કરી.

સૌ પ્રથમ ગુજરાતી સાહિત્ય સરિતાનાઅગ્રગણી વડીલ અને આદરણિય શ્રી ધીરૂભાઈ શાહે  પ્રાચીન કવિઓ વિશે વાત કરી જેઓ અમદાવાદમાં ચાની હોટેલમા ભેગા થતાં અને ચા નો કપ પીતાં પીતાં કવિતા સર્જનની વાતો કરતાં. સાથે સાથે નાનકડી બે હાસ્ય કથાઓ સંભળાવી.

શૈલાબેન મુન્શાએ એમની ગઝલ “મંઝિલ”સંભળાવી
“રેખા હથેળી ની બદલતી નથી કોઈ મંઝિલ”
ના હો હથેળી તોય બસ સલામત મંઝિલ.”વિજયભાઈ શાહે સાહિત્ય સરિતાની સિધ્ધીઓ વિશે વાત કરી. દેવિકાબેનનું નામ સહુથી વધુ વંચાતા બ્લોગમાં પહેલા ૨૫ મા છે અને પ્રવિણાબેન ટુંક સમયમા એમની ૧૦૦૦મી કૃતિ એમના બ્લોગ પર મુકશે. સાથે સાથે ઘણા મિત્રો દ્વારા લખાતી નવલકથા હવે ઈ બુક તરીકે બુક ગંગા પર વંચાશે. આપણી સાહિત્ય સરિતા માટે આ એક બહું મોતી સિદ્ધી અને ગૌરવની વાત   છે.સાહિત્યના દોર અને સમયની સાથે ચાલનાર હેમાબેન કાર્યક્રમમાં વિવિધતા રૂપે સાહિત્ય સાથે સંગીત-ગીતની રજુઆતમાં

ભારતીબેન દેસાઈને ગીત ગાવા આમંત્ર્યા..તેમણે તેમના સુંદર સ્વરે એક ગરબો…“નવદાડા ના નોરતાં રે!” લોકગીત પોતાના મધુર ને દમદાર અવાજે ગાઈ સંભળાવ્યું. સહુ શ્રોતાજને એમા સુર પુરાવી વાતાવરણ સંગીતમય બનાવી દીધું.

હેમંતભાઈ ગજરાવાલાએ એપલ કોમ્પ્યુટર નુ નામ કેવી રીતે પડ્યું તે એલન તુરિન વિશે ઘણી રસપ્રદ માહિતી આપી.
પ્રકાશભાઈ મજમુદારે શ્રી કૈલાશ પંડિતે લખેલી અને મનહર ઉદાસે ગાયેલી ગઝલ
“ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે” પોતાના મધુર કંઠે સંભળાવ્યુ.

વિશ્વદિપભાઇ બારડે જીવનનું  કટુ સત્ય રજુ કરતી લખુવાર્તા “મારા દાદા” સંભળાવી એક કરૂરસમાં ઝબોળી દીધા.

સપના બારડે એક નાનુ મુક્તક રજુ કર્યું.
“બીત ગઈ જો સાલ ઉસે ભુલ જાઈએ,
ઈસ નયે સાલકો ગલે લગાઈએ.

ડો. ઈન્દુબેન શાહે “દિવાળી આવી શું શું લાવી” કાવ્ય દ્વારા બાળ-ફરિયાદ રજુ કરી.

ઈન્દ્રવદનભાઈ ત્રિવેદી એ “હે જનની જણજે દાતા કાં શુર” ગીત ભાવવાહી સ્વરે ગાઈ સંભળાવ્યું.

અનસુયાબેન બારડે “તું શું કરે વિચાર, તારે આજ જાઉં કે કાલ” ભજન સંભળાવ્યું.

રસેશભાઈ દલાલે આપણા મુર્ધન્ય કવિ શ્રી ઉશનશ જેમનુ હાલમાં જ ૯૧ વર્ષની વયે અવસાન થયું, એમનુ બહુ જાણીતું કાવ્ય મોક્લાવ્યું હતું જે વિશ્વદિપભાઈ એ શ્રદ્ધાંજલી સહ  વાંચી સંભળાવ્યું.
“તારા દુર દુરના પ્રવાસે નીકળ્યો હતો એ પ્રુથ્વી”

ભારતીબેન મજમુદારે  (સીનીયર) એ પતિદેવોની ખાસિયત વિશે વાત કરી.
હસમુખભાઈ પટેલે દુનિયામાં થતી ઉથલ પાથલ અને ઉઠતા અનેક સવાલો પર પોતાનુ મંતવ્ય રજુ કર્યું.

વિનોદભાઈ પટેલ જે પોતે પણ ખુબ જાણીતા ચિત્રકાર છે, એમણે ભારતના આધુનિક ચિત્રકારો ની શ્રેણીમા લગભગ ૩૦ કલાકારો વડોદરાના અને મોટાભાગના પદ્મશ્રી કે પદ્મવિભુષણ થી નવાજિત વિશે વાત કરી અને ચિત્રકાર કે.જી. સુબ્રમણ્યમ જે કેરળમા જનમ્યા હોવાં છતા ગુજરાતના થઈને રહ્યાં ને વડોદરા યુનિવર્સીટીના ડિન તરીકે પોતાની સેવા આપી ની વાત કરી.

પ્રશાંતભાઈ મુન્શા હમેશ પોતાના કલેક્શન માં થી સરસ શાયરી સંભળાવે. આ વખતે પણ બે શાયરી રજુ કરી.

નીતિનભાઈ વ્યાસે એક બે રમુજી પ્રસંગો સંભળાવ્યા.
અશોકભાઈ પટેલે એક મુક્તક સંભળાવ્યું. “નગરમાં હાહાકાર મચી ગયો”

ગુજરાતી સાહિત્ય સરિતાના નવા સંચાલક તરીકે સતીશભાઈ ની નિમણુક થઈ. છ મહિના માટે સરિતાનુ સુકાન એ સંભાળશે.
નવેમ્બર માસમાં જે કવિ મિત્રોની વર્ષગાઠ આવે એ સૌ મિત્રોને શુભેચ્છા …તુમ જીઓ..હાજારો સાલ..ગીત ગાઈ ,સુંદર શુભેચ્છા વ્યકત કરી…૯૧ વર્ષની ઉંમરના આંગણે આવેલ શ્રી ધીરૂભાઈ હજુ પણ એક યુવાનને શરમાવે એવી સ્ફ્રુતિ ધરાવનારને એમના સુખી અને તંદુરસ્તી વિશે માહિતી આપી..કહે છે…”ઓછું ખાવ..કસરત કરો, રોજ નિયમિત ચાલવાનું રખો અને મન હંમેશા ખુશ રાખો..હસતા રહો..”

અંતમાં રેખાબેન  અને વિશ્વદિપભાઈનું  આતિત્ય માણી સહુ છુટા પડ્યા. દિવાળી બાદની આ પહેલી બેઠક હોવાથી યજમાન દંપતિ એ છોલે, પરાઠા, ખમણ ચટણી ને ખીર ખવડાવી સહુને તૃપ્ત કર્યા.
અસ્તુ
શૈલા મુન્શા. તા૧૧/૧૫/૨૦૧૧.

બે વર્ષ અમેરિકામાં અભ્યાસ માટે રહ્યા બાદ હું ઉનાળુ વેકેશનમાં બે મહિના માટે અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. અમેરિકાના અનુભવોથી મારામાં ઘણો મોટો માનસિક બદલાવ આવ્યો હતો. જ્યારે વિમાન અમદાવાદની ધરતીને સ્પર્શ્યું ત્યારે રાત્રિના આઠ વાગ્યા હતા. ભરઉનાળે અમદાવાદમાં પગ મૂકવાનું મારા માટે જરા આકરું થઈ પડ્યું હતું. શરૂઆતના બે અઠવાડિયા તો હું ક્યાંયે બહાર ન નીકળ્યો કારણ કે ગરમી અને હવાફેરને કારણે બીમાર પડવાની પૂરી શક્યતાઓ હતી. આમ છતાં, અંદરોઅંદર પરિવારજનોને પૂરા બે વર્ષ પછી મળવાનો આનંદ તો હતો જ.

આમ તો હું કોઈના ઘરે રહેવા જવાનું ટાળતો હતો પરંતુ અમારા સ્મિતાકાકીના અત્યંત આગ્રહને વશ થઈને મારે થોડા દિવસો બાદ એમના ઘરે રહેવા જવું પડ્યું. સ્મિતાકાકીનું ઘર દસ માળના ગગનચૂંબી એપાર્ટમેન્ટમાં હતું. એ એપાર્ટમેન્ટમાં હું રોજ સવારે એક છોકરીને કચરો સાફ કરતાં જોતો. એનું નામ ગીતા હતું. છેક દસમા માળેથી શરૂ કરીને એપાર્ટમેન્ટના ટાવરની ચારેબાજુનો વિસ્તાર એ બરાબર સાફ કરતી. રોજ સવારે છ થી તે છેક દસ વાગ્યા સુધી તે આકરી મહેનત કરતી. વળી, એટલું ઓછું હોય તેમ આટલું કામ કર્યા બાદ તે ઘરે-ઘરે કચરો લેવા જતી. આ તનતોડ મહેનત માટે એને મહિને એક હજાર રૂપિયા મળતા હતા.

એક દિવસે સવારે હું મોડો ઊઠીને જરા આરામ ફરમાવતો ટીવી જોતો હતો અને તે આવી. મને નવાઈ લાગી કારણ કે તે થોડા સમય પહેલા જ કચરો ઉઘરાવીને ગઈ હતી. એ ફરીથી કેમ આવી હશે એમ હું વિચારતો હતો ત્યાં જ એણે સ્મિતાકાકીને પૂછ્યું : ‘બેન, કંઈક ખાવાનું પડ્યું હોય તો આપશો ? બહુ ભૂખ લાગી છે. આજે હું મારા ઘરેથી કંઈ નથી લાવી.’ ગીતાના આવા સવાલથી હું ચોંકી ઊઠ્યો. મને થયું કે માણસને જે વસ્તુ સરળતાથી મળી જતી હોય, એની એને કિંમત નથી હોતી. આપણા માટે જમવાનું કામ કેટલું સરળ છે ! ઘણીવાર તો આપણે ન ભાવતી વાનગી હોય તો અન્નનું અપમાન પણ કરીએ બેસીએ છીએ. પરંતુ આ લોકો માટે તો ખાવાનું મળે એ જ કેટલી મોટી વાત હોય છે ! આપણા જેવા રજવાડી શોખ એમને ક્યાંથી હોય ? ગમે તેમ પણ મને ગીતા પર દયા આવી. ટીવીમાંથી ધ્યાન બાજુ પર હટાવીને હું એ જોવા લાગ્યો કે કાકી હવે શું કરે છે. કાકીએ તેને કહ્યું :
‘જરા બે મિનિટ ઊભી રહે, રસોડામાં જોઈને કહું.’

સ્મિતાકાકીનો સ્વભાવ આમ પાછો દયાળુ. રસોડામાં જઈને એમણે જોયું તો ત્રણ ભાખરી વધેલી. એમણે વધેલી ભાખરી હાથમાં પકડીને ઉપરના માળિયામાંથી પેપરડિશ કાઢી. મને મનમાં થયું કે શું કાકીના ઘરમાં સ્ટીલની ડિશ નહીં હોય ? એમણે પેપરડિશમાં ત્રણ ભાખરી અને અથાણું આપ્યા. મારા માટે જે ચા મૂકેલી એમાંથી થોડી વધેલી ચા એમણે થર્મોકોલના કપમાં ભરી અને ગીતાને આપી. ગીતા ચા-નાસ્તો કરીને પ્રસન્નતાથી વિદાય થઈ પછી મેં કાકીને પૂછ્યું :
‘હેં કાકી, તમે ગીતાને સ્ટીલના વાસણમાં નાસ્તો કેમ ન આપ્યો ?’
કાકીની મુખમુદ્રા થોડી બદલાઈ. કમને જવાબ આપતાં બોલ્યાં : ‘એ તો આ ટાવરમાં કચરો વાળે છે. એને સ્ટીલના વાસણમાં આપીએ તો વાસણ ખરાબ થઈ જાય.’
‘અરે કાકી, પણ સ્ટીલના વાસણ ધોઈ નાખો પછી શું ? એ તો ચોખ્ખા થઈ જાય ! જે વ્યક્તિ તમારા ટાવરની ગંદકી સાફ કરે છે, એની સાથે તમારો આવો વ્યવહાર ?’
‘એ તો આ લોકો સાથે એમ જ હોય. એમને બહુ ઘરમાં ન બેસાડાય, ઘર અભડાઈ જાય. એમની વસ્તુ ન અડકાય.’
‘પરંતુ કાકી, એના શરીરમાં વહેતા લોહીનો રંગ શું જુદો છે ? એ શું સમાજમાં રહેવાને લાયક નથી ? એમાં એનો શું વાંક છે. એ મજબૂરીથી સફાઈનું કામ કરે એટલે શું એ ખરાબ છે ?’

આ પ્રસંગથી મને ખૂબ દુઃખ થયું. મને એ વાતની ખાતરી થઈ કે હજુ આપણે ત્યાં અમુક કોમની વ્યક્તિઓને ખૂબ સહન કરવું પડે છે. ખાસ કરીને નિમ્નકૂળની વ્યક્તિઓ સાથે આવા તો લાખો પ્રસંગો બનતા હશે. ગીતાને આંખ સામે રાખીને અનેક ગરીબોના જીવનની આ હાલત વિચારતાં મારી આંખમાં આંસુ આવી ગયાં. ગાંધીજી શા માટે સફાઈનું કામ કરતાં હતાં એ વાત હવે મને સમજાઈ. આ પ્રકારના વ્યક્તિઓ માટે તેમણે ‘હરિજન’ શબ્દ શા માટે વાપર્યો હતો એ પણ ખ્યાલ આવ્યો. ડોક્ટર ભીમરાવ આંબેડેકરે અનામતનો કાયદો સંવિધાનમાં શા માટે ઉમેર્યો તે આ ઘટના પરથી વધારે સ્પષ્ટ થયું. આજે કદાચ આ આરક્ષણની પદ્ધતિનો દૂરઉપયોગ થતો હશે, પરંતુ મને લાગે છે કે સો માંથી પચાસ ખરેખરી જરૂરિયાતવાળાને પણ જો એનાથી સુયોગ્ય જીવનધોરણ પ્રાપ્ત થતું હોય તો આ કાયદો સફળ છે. હા, એનો ખોટો ઉપયોગ ન થાય એ પણ એટલું જ આવશ્યક છે. નરસિંહ મહેતાથી લઈને ગાંધીજી સુધીના મહાપુરુષોએ દૂરંદેશી અને દીર્ઘદષ્ટિ વાપરીને જો આવું થોડુંક પણ કાર્ય આ લોકો માટે ન કર્યું હોત તો સમાજના ઉચ્ચ વર્ગોએ તો આ લોકોને પૂરેપૂરા કચડી નાખ્યાં હોત. સાચા અર્થમાં જો આ વ્યવસ્થાનો લાભ સમાજના શ્રમજીવી વર્ગને પ્રાપ્ત થાય તો ગીતા જેવા અનેક લોકોનું જીવન વધારે ઊજળું બને.

[સત્યઘટના પર આધારિત કૃતિ By રવિ પટેલ……. આ સરનામે ravipatel122788@gmail.com સંપર્ક કરી શકો છો.]


***********************************************************************

ઓક્ટોબર ૧-૨૦૧૧ ગાંધી જયંતિ ના શુભ દિને શ્રી મુકુંદભાઈ ગાંધી ના નિવાસ સ્થાને સાહિત્ય સરિતાની ૧૧૫મી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આનંદની વાત એ છે કે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો દશાબ્દિ ઉત્સવ માર્ચ  અને મે મહિનામાં “હુંરિટાયર્ડ થયો” નાટકની ભવ્ય સફળતા બાદ  થોડો વિશ્રામ લીધા બાદ સાહિત્ય સરિતાની આ પહેલી બેઠક યોજાઈ જેમા લાંબી આતુરતા બાદ બહોળી સંખ્યામાં શ્રોતાજન અને કવિજને હાજરી આપી.એ હ્યુસ્ટનની સાહિત્યપ્રેમી પ્રજાનો ઉત્સાહ બતાવે છે.

જોગાનુજોગ નવરાત્રિ અને ગાંધી જયંતિ સાથોસાથ હોવાથી વિવિધ વાનગીઓ નો રસથાળ કવિ મિત્રો પાસેથી માણવા મળ્યો.

કાર્યક્રમ ની શરૂઆત હેમંતભાઈ ભાવસારે દેવિકાબેન રચિત પ્રાર્થનાથી  કરી જે  સંગીતે નિષ્ણાંત હેમંતભાઈએ જાતે   કમ્પોઝ કરી છે રાગ યમન કલ્યાણમા. શબ્દો છે,

“રક્ષા કરો વિપત્તિમાં એવી ન પ્રાર્થના મારી,
લાગે ન ભય આ આપત્તિમાં એવી જ પ્રાર્થના મારી.”

બીજું દેવીકાબેન રચિત કાવ્ય “ન કોઈ અહીં” પણ હેમંતભાઈએ રાગ માલકૌંસમા સંભળાવ્યું.

મુકુંદભાઈ એ સૌનું હાર્દિક સ્વાગત કર્યું અને દિપકભાઈએ એમનો આભાર માનતા કહ્યું. ‘ આજની બેઠક એ આજ સુધીની સહુથી મોટી બેઠક છે અને સાહિત્ય સરિતા એ આપણો આત્મા છે અને દર મહિને મળતી બેઠક આપણ ને નવો પ્રાણવાયુ પુરો પાડે છે.’
ત્યારબાદ સભાના સંચાલન નો દોર દિપકભાઈ  ભટ્ટે વિશ્વદિપ  બારડને સંભાળવા વિનંતી કરી.સમયને હાથમાં રાખી આગળ વધવાનું હતું અને આજની બેઠકમાં ઘણાં કવિ-લેખક વક્તા હતાં. વિશ્વદીપ સંચાલક તરીકે ની એમની કલા અનોખી અને  અનેરી હતી. દરેક કવિને રજુ કરતાં પહેલા એ  કવિની-લેખકની સ્વરચિત રચનામાંથી સુંદર પંક્તિ લઈ, શ્રોતા સમક્ષ રજૂ કરી કવિને પ્રોત્સાહિત કરી કાવ્ય કે લેખ  રજુ કરવા વિનંતી કરતા.

સહુ પ્રથમ દેવિકા બેનને આમંત્રિત કર્યા.
દેવિકાબેને પોતાની ગઝલ “કયામત છે’ રજુ કરી.

“”ગણી’તી તાજની ખુબી
મીનાકારી કરામત છે.

પ્રવિણાબેન કડકિયાએ ગાંધીજી ની યાદમાં એમના બહુ જાણીતા અવતરણો વાંચ્યા.
“માનવતામાંથી વિશ્વાસ કદી ના ગુમાવશો.” વગેરે વગેરે……
એમની સખી દત્તા શાહ જે લંડન થી આવ્યાં હતા એમણે ગાંધીજીના અહિંસા વિશેના વિચારો પર પ્રકાશ પાડ્યો.
‘અહિંસા એ બોલવાનો નહિ પણ જીવવાનો વિષય છે. હિંસા હથિયાર થી જ નહિ પણ વાણીથી પણ થતી હોય છે. અહિંસામય જીવી શકાય એના પર ચર્ચા ન કરી શકાય.”

વિશ્વદિપ બારડે કહ્યું.  ઓક્ટોબર માસ આપણાં  માટે  નસીબવંતો છે.ગરબાની રમઝટ અને ગાંધી-જયંતીનો માસ છે સાથો સાથ એક ખાસ વાત કહી કે આ વખતે ઓક્ટોબર મહિનામાં પાંચ શનિવાર, પાંચ રવિવાર ને પાંચ સોમવાર આવે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે.

નવરાત્રીનો રંગ જમાવવા  કોકીલ કંઠી શ્રીમતિ ભારતીબેન દેસાઈને વિનંતી કરી જેની સરખામણી શમશાદ બેગમ સાથે થઈ શકે. નવરાત્રિ હોવાથી એમણે સુંદર ગરબો.
“હું હું રે! માનુ ઝાંઝરિયું વાગે” પોતાના મધુર કંઠે ગાઈ સંભળાવ્યો ને વાતાવરણ મા ઝમક આવી ગઈ.
હેમાબેન પટેલે જયેશ ચિતલિયા ની કવિતા “મોનસુન” સંભળાવી.
“વરસાદ વિના તારી યાદ ભીંજવે મને.”
ચીમનભાઈ પટેલ પોતાના વ્યંગ અને હાસ્ય કાવ્ય લેખનથી જાણીતા છે. એમણે સાહિત્ય સરિતાના મોટાભાગના કવિ મિત્રો ને સાંકળી સરસ મજાનુ નજરાણુ પેશ કર્યું.

વિલાસબેન પિપળીયા જે “માસી” ના હુલામણા નામથી ઓળખાય છે, ને જેમના અવાજની ઓળખ દિવાળીબેન ભીલ સાથે કરવામા આવે છે એમણે નવરાત્રિ ને મા અંબા ભવાની પર લખાયેલા અને ખુબ જાણીતા લોકગીતો નો લહેકભેર રસાસ્વાદ કરાવ્યો.

ફતેહ અલીભાઈ ચતુરે એમના માનીતા કવિ અશોક ચક્રધર નુ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ કાવ્ય
“સંસ્ક્રુત વિધ્યાલય મે ગુરૂને ચેલે સે કહા” સંભળાવ્યું.
મનોજ મહેતા જે સારા સંગીતકાર ગાયક અને ગઝલકાર છે, એમણે પોતાની ગઝલ “રસ્તા” સુંદર ભાવવાહી સ્વરે ગાઈ સંભળાવી.
“ખાલી ભર્યાં વાંકાચુકા રસ્તા ઘણા મળ્યા,
એવાં જ જુવોને આદમી વસતાં ઘણા મળ્યા”

શૈલાબેન મુન્શાએ “ઘટના’ એ પ્રસંગ વાંચી સંભળાવ્યો જેમા એક જ દિવસમા બનેલા ત્રણ જુદા જુદા બનાવોની મનપર થયેલી અસર વિશે વાત કરી.
ડો. ઈન્દુબેન શાહે અંગ્રેજી કાવ્ય “ઈન્સ્પીરેશનનો એમણે કરેલો ભાવાનુવાદ “આશીર્વાદ” સંભળાવ્યો.

સૌના  વડીલ એવા શ્રી ધીરૂભાઈ શાહે જૈનો ના પર્યુષણ નિમિત્તે અને ગાંધીજી ના સરદાર વલ્લભભાઈ પટેલ ની નિકટતા અને સંબંધો ની વાત કરી. તેઓ ગાંધીજીના હનુમાન હતાં.

અંબુભાઈ દેસાઈ એ એમના જીવનમા બનેલી કરૂણ ઘટના અને એના પરથી વિજયભાઈ શાહે લખેલી વાર્તા “કદાચ” વિશે વાત કરી.

સુરેશભાઈ બક્ષીએ ગની દહીંવાલા ની ગઝલ પરથી રચેલી પેરોડી સંભળાવી.
“બે ભાઇઓ માં પડી તકરાર એવી” તથા સંદિપ ભાટિયાની ગઝલ “નથી લખ્યાં એ અક્ષર લઈને જીવ્યાં કરીશું” સંભળાવી.

સમય ધાર્યા કરતાં આગળ ધપી ગયો.સુંદર આયોજન સાથી બેઠક અહીં  પુરી થઈ. સમય મર્યાદામાં અન્ય કવિઓને રજૂઆત કરવાની તક ના મળી એનો ખેદ રહી ગયો.ત્યારબાદ થોડી વાતો દશાબ્દિ મહોત્સવ વિશે થઈ. શ્રી મુકુંદભાઈ એ “હું રિટાયર થયો” નાટક અને અનંતરાય વિધ્યાપતિ નુ પાત્ર ક્યારે કેમ આકાર પામ્યું એની પૂર્વભુમિકા આપી.

ગયા વર્ષે લગભગ ઓગષ્ટ મહિનાની બેઠકમા દશાબ્દિ મહોત્સવ ઉજવવાનુ નક્કી કરવામા આવ્યું અને સમગ્ર આયોજન ની જવાબદારી રસેશભાઇને સોંપવામાં આવી.
દશાબ્દિ નિમિત્તે બે કાર્યક્રમો યોજાયા. મોટાભાગના ભાગ લેનાર સભ્યો પચાસ વર્ષથી વધુ વયના હતા.
રસેશભાઇએ કાર્યક્રમની વિગત આપતા કહું. ‘આપણી સાહિત્ય સરિતાનો આ પહેલો ભવ્ય કાર્યક્રમ થયો અને ઘણીજ મોટી સંખ્યામાં હ્યુસ્ટના શ્રોતાજનોએ હાજરી આપી એ આપણી સફળતા અને ગૌરવની વાત છે .સાથો સાથ આવા ભવ્ય કાર્યક્રમમાં જે પણ થોડી ક્ષતી રહી ગઈ તેને ભવિષ્યમાં સુધારી આપણાં ધ્યેય સાથી આગળ ધપવું.”
પ્રશાંતભાઈ મુન્શાએ હિસાબ ના લેખાંજોખા પહેલીવાર પાવર પોઈંટ થી સમગ્ર સાહિત્ય રસિકો ની સામે રજુ કર્યાં.

સહુથી મોટી વાત દશ વર્ષથી દર મહિને કોઈ સભ્યને ત્યાં એમની ઈચ્છા થી ભેગા થતા આ સાહિત્ય સરિતાના સભ્યો એ હિંમત કરી આટલો મોટો કાર્યક્રમ રજુ કર્યો.દરેક સાહિત્ય સરિતા સભ્યોએ તન-મન અને સમયનો ભોગ આપી ઘણાં લાંબા સમયની મહેનતને દાઝ આપવી ઘટે.સાહિત્ય સરિતાતો વહેતીજ રહેશે..જેના નિર્મળ જળ સાહિત્યરૂપી સાગરમાં જઈ ભળશે અને એ સાગરમાં આપણે  સૌ સાથે મળી આપણી નૌકાને હંકારવાની છે.

મુકુંદભાઈ ગાંધી એ એક અનેરો ઉત્સાહ બતાવી આ બેઠકનું આયોજન પોતાના ઘેર થાય એવો આગ્રહ અને  એમની સાહિત્ય સરિતા પ્રત્યેની લાગણીને સાહિત્ય સરિતા સદા આભારી રહેશે.

અંતમાં  મુકુંદભાઈ ગાંધીએ  સૌ પધારેલ મહેમાનોને  પાંવ ભાજી  સાથે ઠંડાઈ પિરસ્યા બદલ સાહિત્ય સરિતા એમનો આભાર વ્યકત કરે છે,

શૈલા મુન્શા તા. ૧૦/૦૫/૨૦૧૧
 

 

Jindagi amari 4